સોનાલી ફોગાટ મૃત્યુ કેસ, આખરે CBIએ નોંધ્યો કેસ, જાણો સંપૂર્ણ વિગત

સોનાલી ફોગાટ મૃત્યુ કેસ: આખરે CBIએ સોનાલી ફોગાટ હત્યા કેસમાં કેસ નોંધ્યો. સીબીઆઈની ટીમ હવે આ મામલાની તપાસ માટે શનિવારે ગોવા રવાના થશે. તેની સાથે ફોરેન્સિક ટીમ પણ મોકલવામાં આવશે, જે દરેક પાસાઓ અને પુરાવાઓની તપાસ કરશે. નોંધનીય છે કે, સોનાલી ફોગાટનું ગોવામાં 23 ઓગસ્ટના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના મૃત્યુના મામલામાં તેમના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ સહિત ઘણા લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે.

દેશભરમાં ખળભળાટ મચાવનાર સોનાલી ફોગાટ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો છે. સીબીઆઈની ટીમ શનિવારે ગોવા જવા રવાના થશે. તપાસ એજન્સીએ કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધી છે. સીબીઆઈની ટીમની સાથે દિલ્હીથી ફોરેન્સિક ટીમ પણ ગોવા જશે. નોંધનીય છે કે, સોનાલી ફોગાટનું ગોવામાં 23 ઓગસ્ટના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. ઉત્તર ગોવાની સેન્ટ એન્થોની હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

ગોવા પોલીસે બીજેપી નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુના ત્રણ દિવસ બાદ હત્યાનો કેસ નોંધ્યો હતો. ફોગાટના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. અગાઉ પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે સોનાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

સોનાલીનો પરિવાર ઇચ્છતો હતો કે તેનું પોસ્ટમોર્ટમ ગોવામાં જ થાય. આ પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ડોકટરોની 3 સભ્યોની પેનલે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, જે સમયે સોનાલી ફોગાટનું અવસાન થયું તે સમયે તેના પીએ સુધીર અને સુખવિંદર તેની સાથે ગોવામાં હતા. 23 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે સોનાલીના ભાઈને ફોન કરીને જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. આ પછી તેણે પરિવારના સભ્યોનો ફોન ઉપાડ્યો ન હતો. સોનાલીના પરિવારનો આરોપ છે કે સુધીર અને સુખવિંદરે તેની હત્યા કરી છે. સુધીર સોનાલીની મિલકત હડપ કરવા માંગે છે. તેથી જ તેણે સોનાલીની હત્યા કરી છે.

બીજી તરફ ગોવા પોલીસને સોનાલી ફોગાટના ઘરેથી 3 રેડ ડાયરીઓ મળી છે. આમાં નાણાંની લેવડ-દેવડ પણ ઝડપાઈ હતી. ખાસ વાત એ છે કે આ ડાયરીઓમાં સોનાલી અને સુધીર વચ્ચેના પૈસાનો હિસાબ છે. જેમાં સોનાલીએ હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં નાણાં રોક્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ડાયરીમાં કેટલાક રાજકારણીઓ, અમલદારો અને કાર્યકરોના નામ અને નંબર પણ છે. સોનાલીના ઘરેથી એક લોકર પણ મળી આવ્યું છે પરંતુ તેનો પાસવર્ડ કોઈની પાસે નથી. જેના કારણે તેને ખોલી શકાયું નથી.

Also Read: અમિત શાહે ‘આપ’ પર કર્યા પ્રહારો , કહ્યું ગુજરાતમાં ‘સ્વપ્ન વેચનાર’ જીતશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *