પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે તેમને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓના “અતિશયતા” વિરુદ્ધ વિધાનસભામાં એક ઠરાવ પર બોલતા, બેનર્જીએ વડા પ્રધાનને વિનંતી કરી કે કેન્દ્ર સરકારના એજન્ડા અને તેમના પક્ષના હિતોનું મિશ્રણ ન થાય તે સુનિશ્ચિત કરે.
બીજી તરફ ભાજપે આ ઠરાવનો વિરોધ કર્યો હતો, જેને બાદમાં વિધાનસભાએ પસાર કર્યો હતો. પ્રસ્તાવની તરફેણમાં 189 અને વિરોધમાં 69 મત પડ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ બેનર્જીએ કહ્યું કે, વર્તમાન કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી રીતે વર્તી રહી છે. આ ઠરાવ કોઈ વિશેષની વિરુદ્ધ નથી, પરંતુ કેન્દ્રીય એજન્સીઓની પક્ષપાતી કામગીરી વિરુદ્ધ છે.
બીજી બાજુ, વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે આ પ્રકારની ‘સીબીઆઈ અને ઇડી વિરુદ્ધ દરખાસ્ત’ વિધાનસભાના નિયમોની વિરુદ્ધ છે.
જણાવી દઈએ કે CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ રાજ્યમાં એવા ઘણા કેસોની તપાસ કરી રહી છે જેમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ આરોપી છે.