રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં આવનાર VIP લોકોને સૂચના – હેલિકોપ્ટરમાં નહીં, બસમાં આવો

બ્રિટનની રાણી એલિઝાબેથ II નું અવસાન: 1965 માં ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પછીનો પ્રથમ રાજ્ય અંતિમ સંસ્કાર સમારોહ હશે. બ્રિટનની આજની તારીખની સૌથી મોટી સુરક્ષા અને લોજિસ્ટિક્સ કાર્યોમાંનો એક હશે, વિશાળ ભીડને સંચાલિત કરવામાં મદદ કરવા માટે દેશભરમાંથી હજારો પોલીસ અધિકારીઓને ત્યાં તૈનાત કરવામાં આવશે.

બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનો 19 સપ્ટેમ્બરે અંતિમ સંસ્કાર થવાનો છે, જેમાં 500 થી વધુ ખાસ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથ II ના અંતિમ સંસ્કારમાં સામેલ વિદેશી નેતાઓ અને તેમના જીવનસાથીઓને અંતિમ સંસ્કાર સમારંભમાં પહોંચવા માટે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા આવવા અને બસ સેવા લેવા માટે કહેવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, વિદેશી કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે લગભગ 500 વિદેશી મહાનુભાવો રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. 19 સપ્ટેમ્બરે યોજાનાર અંતિમ સંસ્કાર સમારોહ માટે અધિકારીઓ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. ન્યૂઝ વેબસાઈટ પોલિટિકોના અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને વેસ્ટમિંસ્ટર એબી આવવા માટે હેલિકોપ્ટર અથવા ખાનગી વાહનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે, બધા બસ સેવાનો ઉપયોગ કરે.

બ્રિટન રાણી એલિઝાબેથ II ના રાજ્યના અંતિમ સંસ્કારની આગલી રાતે રવિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે એક મિનિટનું મૌન પાળશે. આ જાહેરાત ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાન કાર્યાલય) દ્વારા કરવામાં આવી છે. બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રુસના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક મિનિટનું મૌન રાષ્ટ્ર માટે શોક વ્યક્ત કરવાની અને સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર હશે. રાણીનું ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

Also Read: 500 કરોડના બજેટવાળી ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’ [PS – 1] એ રિલીઝ પહેલા જ કરી અધધધ કમાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *